• Blog Stats

    • 261,195 Visitors
  • Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

    Join 1,068 other subscribers
  • Google Translator

    http://www.google.com/ig/adde?moduleurl=translatemypage.xml&source=imag

  • FaceBook

  • Islamic Terror Attacks

  • Meta

  • iPaper Embed

  • Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • Authors Of Blog

  • Monthly Archives

આઝાદીનો યશ અને ગાંધીજી @ VICHARO.COM BY; Kalpesh Soni


The Gulf of Khambat is at the right-lower-cent...

Image via Wikipedia

http://santoshbhatt.wordpress.com/2010/07/12/muslim-appeasement-was-an-inseparable-part-of-gandhi%e2%80%99s-quack-doctrine-of-non-violence/

આઝાદીનો યશ અને ગાંધીજી

PostDateIcon September 27th, 2010 | Author: admin  By ; Kalpesh Soni @ VICHARO.COM

વાચકમિત્રો,
ગાંધીજયંતિ આવી રહી છે. આઝાદીનો યશ ન પચાવી શકનારા ગાંધીજીના વિચાર-વાણી-વર્તનમાં આઝાદી બાદ જે બદલાવ આવ્યો, તેઓની મન-બુદ્ધિમાં જે ગરબડ પેદા થઈ તેનાથી ગાંધીજીએ ભારતને આવનારા સો-બસો વર્ષ સુધી ભરપાઈ ન થઈ શકે એવું ભારે નુક્શાન કરી નાંખ્યું. એ અંગેની રજુઆત જરુરથી વાંચો:

‘કોઈ તમને એક ગાલે તમાચો મારે તો તમારે બીજો ગાલ ધરવો.’ ‘કોઈ આપણને ગાળ દઈ જાય તો આપણે એ ગાળ લેવી નહિ, એટલે કોઈ પ્રશ્ન જ રહે નહિ.’ વાણિયાવૃત્તિનો માણસ તો એથી પણ આગળ વધીને એવું કહે, કે ‘એ આપણને કંઈક આપીને ગયો છે ને, આપણી પાસેથી કંઈ લઈ ગયો નથી ને !’ શું આ વાત બરાબર છે ? અરે, આ તો કાયરનું-નામર્દનું તત્વજ્ઞાન છે. કોઈ માણસ મારી સામે આંખ કાઢીને વાત કરે, ઉંચા અવાજે વાત કરે, ગાળ દઈને વાત કરે, કે પછી મને મારવા હાથ ઉગામે એ મારા અસ્તિત્વનું અપમાન છે. અને એવું કરતા પહેલા એના મનમાં મારા તરફથી મળનારા પ્રત્યાઘાતો અંગે ડર જાગે ત્યારે મારા સ્વમાનનું મેં સાચું રક્ષણ કર્યું કહેવાય. માણસની અસ્મિતા તેમજ ગૌરવની જાળવણી માટે આ વિચારધારા જ યોગ્ય છે.

કોઈ એક સંત કોઈ દુ:ષ્ટ પ્રકૃતિના માણસનું ગેરવર્તન સહન કરી રહ્યા હોય ત્યારે સંતના કરુણાથી ભરેલા હૃદયને જોઈને એ દુ:ષ્ટના મનમાં પોતાની દુ:ષ્ટતા બદલ પશ્ચાત્તાપની ભાવના જાગે છે અને પોતાની હીન વૃત્તિ બદલ શરમ અનુભવીને એ જાતે પોતાનામાં પરિવર્તન લાવવા તૈયાર થાય છે. આવા સંતની ભાવના ‘કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો’ એવી હોઈ શકે. આ વાતનું સામાન્યીકરણ ના થઈ શકે. દાદાનો ઝબ્બો પહેરીને પૌત્ર ચાલવા જાય તો એ પડી જાય અને એના દાંત તુટી જાય. આટલી સાદી વાત ન સમજી શકે એ માણસ નેતા થઈ જાય ત્યારે જનતાની અવદશા થાય છે. ગાંધીજીની માનસિક કક્ષા સંત સુધી પહોંચી ચુકી હોવાથી એ માર ખાઈને સ્વસ્થ રહી શકે. વળી તેઓનું એવું વર્તન એક દુ:ષ્ટ વ્યક્તિ પુરતુ અસરકારક બને. દુશ્મન સમુહ પર એની કોઈ અસર થઈ શકે નહિ. અંગ્રેજોએ પીછેહઠ કરી એ આપણા અહિંસક પ્રતિકારના કારણે નહિ, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા અંગ્રેજો માત્ર ભારતમાંથી જ નહિ પરંતુ વિશ્વભરમાંથી માનભેર પીછેહઠ કરીને પોતાના દેશમાં પરત ફરી રહ્યા હતા.

ગાંધીજીની અહિંસાને આઝાદીનો યશ આપવાથી સમાજ ગેરમાર્ગે દોરાશે અને એથી ભારે નુક્શાન વેઠવાનો વારો આવશે. અહિંસાનો અર્થ છે: પ્રેમ, જે વ્યક્તિની કૃતિથી નહિ પરંતુ એ કૃતિ પાછળના પ્રેરકબળથી નક્કી થાય છે. શિયાળાની વહેલી સવારે પોતાના બાળકને ઉઠાડનારી મા બાળકને ક્રુર લાગે છે. પરંતુ એ કૃતિ પાછળ માનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ જ રહેલો છે. શહેરના બાર લાખ નાગરિકોને દસ-બાર ગુંડાઓએ આતંકના ભરડામાં લીધા હોય ત્યારે કોઈ ક્રાંતિકારી યુવાન એ ગુંડાઓને મારી નાંખે તો એ કૃતિ પાછળનું પ્રેરક બળ એ યુવાનનો પોતાના શહેરના નાગરિકો પ્રત્યેનો પ્રેમ છે. અને એ ક્રાંતિકારીને સાચો અહિંસાનો પુજારી કહેવાય. બાર લાખ નાગરિકોની ગુંડાઓ દ્વારા થઈ રહેલી હિંસા જોયા કરનારો, શસ્ત્ર ઉપાડીને મારવાને બદલે ગુંડાઓને સમજાવવાનો પ્રયત્ન કરીને તેઓની દાદાગીરીને પોષનારો અને એ રીતે સમાજને દુ:ખી રાખનારો માણસ ખરેખર તો હિંસક કહેવાય.

અમેરિકન પંડિત ઈમર્સન, ઈંગલેન્ડ પંડિત થોમસ કાર્લાઈલને ઈંગલેન્ડમાં મળ્યા ત્યારે કાર્લાઈલે જીવનના સત્ય સિદ્ધાંતોથી ભરેલા ગ્રંથ તરીકે  ‘ગીતા’ પુસ્તક ઈમર્સનને ભેટમાં આપ્યું હતું. આ વાતની ઈતિહાસે નોંધ લીધી છે. ગીતાના વિચારોની અસર ઈમર્સન પર થઈ છે અને ઈમર્સને જીવનના અડતાલીસ વર્ષ અમેરિકાના કોન્કોર્ડ શહેરમાં ગાળ્યા હોવાથી ઈમર્સનના વિચારોની અસર અમેરિકા પર થયેલી જોવા મળે છે. આથી કહી શકાય કે અમેરિકાની War ministryછે, જે ગીતાના(કૃષ્ણના) વિચારો પર આધારિત છે. જ્યારે ભારતની Defense ministry છે, જે ઈસુખ્રિસ્તના(ગાંધીજીએ સ્વીકારેલા) વિચારો પર આધારિત છે.

મહાન માણસોના બે પ્રકાર છે: (1)વ્યક્તિગત મહાન માણસો અને (2)સામાજિક રીતે મહાન માણસો.

મુઠ્ઠીભર અંગ્રેજો આપણા દેશના કરોડો લોકો પર 250 વર્ષ સુધી રાજ્ય કરી શક્યા. શા માટે? કારણ કે તેઓ સામાજિક રીતે મહાન હતા. અને આપણે વ્યક્તિગત રીતે મહાન હતા અને એવા જ મહાન બનવાનો પ્રયત્ન આજે પણ કરીએ છીએ. ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ એટલે કે ‘જે ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે.’ કીડીને પણ ન મારનારો, અહિંસા ધર્મ પાળનારો હિન્દુ છેલ્લા હજાર વર્ષથી હારતો ને માર ખાતો જ આવ્યો છે અને એક પણ પાપ કરવાનું જેણે બાકી નથી રાખ્યું એવા હિંસક અંગ્રેજો 250 વર્ષથી વિજેતા રહ્યા છે. શા માટે? કારણ છે: આપણે હિન્દુઓએ વ્યક્તિધર્મનું પાલન કર્યું અને અંગ્રેજોએ સામાજિક ધર્મનું પાલન બરાબર કર્યું છે. 250 વર્ષોમાં એક પણ અંગ્રેજ એવો નથી પાક્યો, જેણે ઇસ્ટ ઇંડિઆ કંપની સામે કે પોતાના દેશ ઇંગલેંડ સામે ગદ્દારી કરી હોય ! અંગત ધન-સંપત્તિ એકઠી કરવાની કે માનપાન મેળવવાની લાલચ ત્રણ સદી સુધી એક પણ અંગ્રેજને ભ્રષ્ટ કરી શકી નહિ.

ગાંધીજી વ્યક્તિગત રીતે મહાન હતા કે સામાજિક રીતે મહાન હતા?

ગાંધીજીએ મુસલમાનોનો પક્ષ લીધો. શા માટે? ગાંધીજીએ એક વાત હંમેશા પકડી રાખી હતી, કે ‘દેશનું જે થવું હોય એ થાય, હું જે સમુહમાંથી આવું છું એ સમુહનો પક્ષ ક્યારેય નહિ લઉં કારણ કે એથી મહાન હોવાની મારી છબી ખરડાય છે. હું પક્ષાપક્ષીમાં નથી માનતો એવું સ્પષ્ટ દેખાવું જોઈએ.’ આ વાતના સમર્થનમાં આપણે ત્રણ બાબતો જોઈએ :

(1)જ્યાં હિન્દુ-મુસ્લિમની વાત આવી ત્યાં પોતે હિન્દુ હતા તો એમણે મુસલમાનોનો પક્ષ લીધો.
(2)જ્યાં દિલ્હીના નહેરુ અને ગુજરાતના સરદારની વાત આવી ત્યાં પોતે ગુજરાતી હતા તેથી એમણે દિલ્હીના નહેરુનો પક્ષ લીધો. અને
(3)જ્યારે શાકાહારીઓ-માંસાહારીઓની વાત આવી ત્યારે પોતે શાકાહારી હોવાથી એમણે માંસાહારીઓનો પક્ષ લીધો.

આઝાદ ભારતમાં ગૌહત્યા પ્રતિબંધનો કાયદો કરવાની વાત ચાલી જેમાં ગાંધીજીએ સહકાર ન આપ્યો, એમ કહીને, કે “આપણે કેવી રીતે કહી શકીએ કે મુસલમાનોએ ગાયનું માંસ ન ખાવું?” સર્વધર્મસમભાવની વાત કરનારા ગાંધીજીને શું એ વાત યાદ ન હતી, કે ‘ગાય હિન્દુ ધર્મનું અતિશય પવિત્ર પ્રાણી છે ?’ ઇસ્લામ ધર્મનો જન્મ અરબસ્તાનમાં થયો, જ્યાં માત્ર રણપ્રદેશ હોવાથી, ખેતી શક્ય ન હોવાથી રખડતી ટોળીના માણસો માંસાહાર પર ગુજારો કરતા હતા. માંસાહારને ઇસ્લામ સાથે કોઈ સીધો સંબંધ નથી. ખેતી પર નભનારા અને તેથી ગૃહસ્થ જીવન જીવનારા સભ્ય સમાજમાં ઇસ્લામનો પ્રવેશ થયો ત્યાં સ્વાભાવિક રીતે માંસાહાર ત્યાજ્ય થઈ જવો જોઈએ. કોઈ પણ ધર્મ હિંસાને કેવી રીતે માન્યતા આપી શકે? જ્યારે અહિંસામાં માનનારા ગાંધીજીએ આઝાદ ભારતમાં મુસલમાનોને પશુહિંસા ઉપરાંત ગૌહિંસાની છુટ પણ આપી દીધી ! શું તેઓ અહિંસાધર્મનો ઢોંગ કરી રહ્યા હતા?

ઇસ્લામમાં શું લખ્યું છે કે કુરાનમાં શું લખ્યું છે એની વાત જવા દો. પરંતુ ઇસ્લામના નામે તેમજ કુરાનના નામે આઝાદ ભારતમાં મુસલમાનો હિંસા ફેલાવી રહ્યા હતા ત્યારે તેઓને વાળવાને બદલે તેઓનો પક્ષ લઈને ગાંધીજી એમ કહીને તેઓનો બચાવ કરી રહ્યા હતા, કે “બિચારા મુસલમાનો તો પ્રમાણિકપણે પોતાની સમજણ અનુસાર ઇસ્લામ ધર્મનું પાલન કરી રહ્યા છે.” તેઓની સમજણ ઠેકાણે લાવવાની કે તેઓની ગેરસમજને પોષવાની ? એટલી સાદી વાતની આ મહાન માણસને ખબર ન હતી?

આપણને આઝાદી ગાંધીજીએ નહિ પણ ભગવાને અપાવી છે.

ભારતની આઝાદીનો યશ ભલે ગાંધીજીની અહિંસાને મળ્યો, પરંતુ આઝાદીના રહસ્યો જાણી લેવા જરુરી છે. બીજા વિશ્વયુદ્ધમાં બુરી રીતે હારી ચુકેલા ઈંગલેંડને ‘V’ for Victory અને ‘Victory through defeat’ એવા બે સુત્રો આપી પોતાના બાહુબળથી જીતાડનાર અને ભારતને કોઈ પણ સંજોગોમાં આઝાદી ન આપવાનું વ્રત લેનાર ચર્ચિલનો કોંઝર્વેટીવ પક્ષ, યુદ્ધ બાદ તરત ઈંગલેંડમાં આવેલી ચુંટણીમાં, અગાઉ એક પણ વાર ન હાર્યો હોવા છતાં પ્રથમ વાર હારી કેમ ગયો? અને ભારતને આઝાદી આપવાના મતનો લિબરલ પક્ષ કોઈ જ નોંધનીય કાર્ય ન કર્યું હોવા છતાં ઈંગલેંડના ઈતિહાસમાં પ્રથમ વાર ચુંટણી જીતી કેમ ગયો? ભારતને આઝાદ કરવાનું કાર્ય કર્યા બાદ તરત જ લિબરલ પક્ષ સત્તા ગુમાવી બેઠો અને ચર્ચિલનો હારી ચુકેલો કોંઝર્વેટીવ પક્ષ ફરીથી ચુંટણી જીતી ગયો. ત્યારબાદ પચાસ વર્ષ સુધી લિબરલ પક્ષ સત્તા પર આવ્યો નથી. ત્યારે કહેવાનું મન થાય કે ભારતને ભગવાને આઝાદી અપાવી છે, કોઈ વ્યક્તિએ નહિ.

યશ-સફળતાને પચાવવી એ મહાપુરુષો માટે પણ મુશ્કેલ છે.

ગાંધીજીને ભારતને આઝાદ કરાવ્યાનો યશ મળી ગયો. લોહીની નદીઓ વહાવ્યા વિના સત્તાપરિવર્તન થયું હોય એવી કોઈ ઘટના અગાઉ વિશ્વના ઈતિહાસમાં બની નથી. અહિંસા અને સત્ય જેવા મુલ્યો જે યુગમાં મશ્કરીને પાત્ર ગણાતા હોય એ મુલ્યોને ગાંધીજી દ્વારા સામાજિક સંદર્ભ મળ્યો. આ સફળતાને પચાવવા માટે જે માનસિક સજ્જતા હોવી જોઈએ એનો ગાંધીજીમાં અભાવ હતો. ભારતને આઝાદી મળ્યા બાદના ગાંધીજીના નિવેદનોનો અભ્યાસ કરશું તો સ્પષ્ટ જણાય છે, કે તેઓએ 100% મુર્ખતાપુર્ણ વાતો કરી છે. વધુ મહાન બનવાની ઘેલછામાં મૃત્યુપર્યંત તેઓએ અમર્યાદ બફાટ કર્યો છે. એક તરફ ગાંધીજીએ કહ્યું, કે “મુસલમાન ભાઈઓ, આવો અને આઝાદ ભારત પર અનંતકાળ સુધી રાજ્ય કરો. હિન્દુઓ તમારી આજ્ઞામાં રહેશે પણ ભાગલાની વાત ના કરો.” તો બીજી તરફ એમણે કહ્યું, કે ‘નહેરુ મારો રાજકીય વારસદાર છે.’ શું ગાંધીજીને એટલી ખબર ન હતી, કે ભારત દેશ તેઓના પુજ્ય પિતાશ્રીની માલિકીનો નથી.

મહાનતાની લાલચ

દેશ માટે અપાયેલા સેંકડો ક્રાંતિકારીઓના બલિદાનોની અવગણના કરીને આઝાદીનો સંપુર્ણ યશ પોતાના ખિસ્સામાં સેરવી લીધા બાદ ગાંધીજીને શ્રેષ્ઠ વિશ્વમાનવ બનવાની ઘેલછા જાગી હતી. તેઓ એવા મધમીઠા દિવાસ્વપ્નોમાં રાચવા લાગ્યા હતા, કે “મારા જેવા મહાન માણસનું મૃત્યુ સામાન્ય માણસની જેમ બિમાર પડીને પથારીવશ અવસ્થામાં થાય તો તો મારો જન્મારો એળે જાય. આપણે એવું કંઈક કરવું કે જેથી આપણી હત્યા થઈ જાય તો તો રંગ રહી જાય. પરંતુ એ માટે શું કરી શકાય? હા, ઉપાય હાથવગો જ છે ! આઝાદ ભારતમાં બહુમતિ હિન્દુઓ ઉશ્કેરાય એવા ઉપરાછાપરી નિવેદનો કરું, કે જેથી કોઈ સાચો દેશભક્ત હિન્દુ મને હણી નાંખે અને હું અનંત કાળ સુધી અમર થઈ જાઉં. તો તો સોનામાં સુગંધ ભળી જાય.

ગાંધીજી વિચારે છે: ‘ઇતિહાસ મને કેવી રીતે યાદ રાખશે? એક તો મારા થકી દેશને આઝાદી મળી, બીજુ, મેં મારા પ્રાણોનું બલિદાન આપ્યું અને ત્રીજુ, હું ‘હિન્દુ-મસલમાન’ એવી પક્ષાપક્ષીથી ઘણો ઉપર ઉઠી ચુકેલો મહાત્મા છું એ વાત વધુ પુષ્ટ થશે. અને એમ થાય તો રત્નજડીત સોનાની વીંટી સુગંધીત થયા જેવું થાય. રત્નમ કાંચનેન સમાગચ્છતુ. હા, આ જ શ્રેષ્ઠ રસ્તો છે.” અને ગાંધીજીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે આવતીકાલે મારી હત્યા થઈ જાય તો પણ હું મારા નિર્ણયને વળગી રહેવાનો છું.” આમ કહીને તેઓએ એક તરફ હિન્દુ દેશભક્તોને ખુલ્લું ઇજન આપ્યું, કે “આવો, મારી હત્યા કરો અને મને જલ્દી અમર કરો.” અને બીજી તરફ પોતાના અંત સમયની આગાહી કરવા સમર્થ તેમજ પોતાનો અંત કેવી રીતે આવશે એ ભાવિનું દર્શન પોતાને થયાના એંધાણ પ્રગટ કરીને ગાંધીજીએ વધુ યશ કમાઈ લીધો.

દેશને આઝાદી મળ્યા બાદ જવાબદારી પુરી થાય છે, કે વધી જાય છે? હોદ્દો કોને સોંપી શકાય? આવનારા 1000 વર્ષને જે જોઈ શકે, અને દેશને જે આગળ લઈ જઈ શકે એવા વિઝનરીના હાથમાં દેશનું સુકાન સોંપાય કે પછી, જેમ લાગણીવશ થઈને કોઈ વ્યવહારુ બાપ પોતાના મુર્ખ, લાડકા એવા નાના દીકરાને પોતાનો વારસો સોંપી દે એમ લઘુમતિ મુસ્લિમોને કે પછી નાદાન નહેરુને દેશનું સુકાન સોંપાય ? ગાંધીજીએ શું જોઈને નહેરુને વડાપ્રધાનપદ સોંપવાનું નક્કી કર્યું હતું? મેડમ એડવિના આગળ લટુડા-પટુડા કરતા નહેરુમાં દેશને ચલાવવાની ગાંધીજીએ કોઈ લાયકાત જોઈ હતી શું?

જો ગાંધીજી 500થી વધુ રાજ્યોનું વિલિનીકરણ કરીને અખંડ ભારતના નિર્માતા એવા મહાન સરદાર પટેલને દેશનું સુકાન સોંપે તો આ દેશને તો કુદકે ને ભુસકે આગળ લઈ જનારો મહાન નેતા મળી જાય. પરંતુ દુનિયાભરના મોટા લોકો ગાંધીજી વિશે શું કહેશે? ‘એક ગુજરાતીએ બીજા ગુજરાતીને આગળ કર્યો.’ એના બદલે ગાંધીજી પોતે ગુજરાતી હોવા છતાં એક લાયક અને સમર્થ ગુજરાતીની અવગણના કરીને અન્ય પ્રદેશના માણસને ગાદી સોંપે તો પોતે પોતાના પ્રદેશભાઈ એવા એક ગુજરાતીથી કેવા નિર્લેપ રહ્યા ગણાય ! (નાયબ વડા પ્રધાન તેમજ ગૃહપ્રધાન બન્યા બાદ ગાંધીજીની આજ્ઞાથી સરદાર પટેલે પોતાના પરિવારજનોને દિલ્હીની હદની આજુ-બાજુ દસ કિલોમીટર સુધી ફરકવાની સખત મનાઈ ફરમાવી દીધી હતી.) આને કહેવાય વ્યક્તિગત મહાનતા. પોતાને કલંક ન લાગે એ માટે ગાંધીજીએ સમર્થ પુરુષ એવા સરદાર પટેલને હાંસિયામાં ધકેલી દીધા અને અણઘડ નહેરુને દેશનું સુકાન સોંપીને આ દેશને ખાડામાં નાંખ્યો.

એની સામે યાદ કરો, કૃષ્ણને અને છત્રપતિ શિવાજીને. મથુરાના રાજા કંસને મારીને જરાસંધની બે દીકરીને યુવા વયે વિધવા બનાવી તેથી કૃષ્ણ પ્રત્યે વેર લેવા જરાસંધ સત્તર વખત મથુરા પર હુમલા કરે છે. જરાસંધ સાથેની કૃષ્ણની અંગત દુ:શ્મનાવટના કારણે સમગ્ર મથુરાની જનતાને હેરાન થવું પડે છે. તેથી કૃષ્ણ મથુરામાંથી છાના-માના પલાયન થઈ જાય છે. એક ક્ષત્રિય માટે રણ છોડીને ભાગી જવું એ મૃત્યુથી પણ બદતર ગણાય. છતાં કૃષ્ણે એમ કર્યું. કોના માટે? મથુરાની પ્રિય જનતા માટે પોતે કલંક વહોરી લીધું. આને કહેવાય સામાજિક મહાનતા. બીજો પણ એક પ્રસંગ છે: ભીષ્મને મારવાનું નક્કી થયા બાદ પણ અર્જુન બરાબર લડતો ન હોવાથી કૃષ્ણ યુદ્ધમાં નિ:શસ્ત્ર રહેવાની પોતાની અંગત પ્રતિજ્ઞા તોડીને ભીષ્મને મારવા દોડે છે. તેઓ વ્યક્તિગત મહાનતાનું સુત્ર ‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાઈ’ ને વળગી રહેવાને બદલે સમષ્ટિના હિતને માટે પોતાની અંગત પ્રતિષ્ઠા દાવ પર લગાડી દે છે.

એ જ રીતે મહાન શિવાજીએ સામસામે સ્થિર યુદ્ધ ન કરતા છાપામાર પદ્ધતિ અપનાવી. પરિણામે તેઓ ‘ડુંગરનો ઉંદર’ તરીકે ઓળખાયા. દેશને દુ:શ્મનોથી આઝાદ કરવા ધનની જરુર હતી તો ધનિકો આગળ બળજબરી પણ કરી. ભ્રષ્ટ ઇતિહાસકારોએ તેઓને લુંટારુ તરીકે પણ ઓળખાવ્યા. આવા કલંકો કપાળે ચોંટ્યા છતાં એની પરવા ન કરતા દેશને મુસલમાનોના ત્રાસમાંથી મુક્ત કર્યો અને મા ભારતીને આઝાદ કરી. આ છે સામાજિક મહાનતા.

સરદાર પટેલે કૃષ્ણ તેમજ મહાન શિવાજીનું અનુસરણ કરીને સંસદમાં પોતાને મળેલી સ્પષ્ટ બહુમતિનો ફાયદો ઉઠાવીને દેશનું સુકાન સક્રિયતાથી ગ્રહણ કર્યું હોત તો આ દેશ બચી જાત. પરંતુ એ માટે પોતાના કપાળમાં ‘સરદાર સત્તાલાલચુ છે’ એવું લેબલ જરુર લાગ્યું હોત. અને પોતાના નેતાની આજ્ઞા ન માનનારા અનુયાયી તરીકે તેઓની ગણના થઈ હોત ! તેથી શું થઈ ગયું ? આજે આપણે કૃષ્ણ તેમજ શિવાજીને કેવી રીતે યાદ કરીએ છીએ? કલંક લાગ્યા હોવા છતાં તેઓની મહાનતામાં કોઈ ઓટ આવી છે ખરી? અરે, કલંક સ્વીકરવા માટે પણ હિંમત જોઈએ. અને દેશ તેમજ સમાજ માટે દિલમાં પ્રેમ જોઈએ. ‘હું કેવો લાગીશ?’ એવું મહાન માણસો ક્યારેય વિચારતા નથી.

ભુતકાળના એવા ઘણા દાખલા આપણે સાંભળ્યા છે, કે કોઈ વિધવા બહેન સાથે ગામના કોઈ પુરુષે કુકર્મ કર્યું હોવાથી એ બહેનને ગર્ભ રહે છે. તેથી રાત્રે ત્રણ વાગે એ બહેન ગામના કુવે આપઘાત કરવા જાય છે. કોઈ સંત ત્રણ વાગે ઉઠીને કુવાકાંઠે સ્નાન કરી રહ્યા હોય છે. તેઓ બહેનની સ્થિતિ જાણીને એને આશ્વાસન આપે છે, કે ‘જા બહેન, કોઈ પુછે તો બાળકના પિતા તરીકે મારું નામ આપી દે જે. દુનિયાની નજરમાં હું તારો પત્ની તરીકે સ્વીકાર કરીશ.’ અહિં સંત એક જીવને બચાવવા કલંક વહોરે છે. આ લોકો ખરા અર્થમાં મહાન છે, નહિ કે માત્ર વ્યક્તિગત મહાન લોકો. કોઈ વ્યક્તિની મહાનતા સમાજ માટે, દેશ માટે કોઈ કામની ન હોય અથવા સમષ્ટિને દીર્ઘકાલીન મોટું નુકશાન કરી જાય એવી વૈયક્તિક મહાનતા ને શું કરવાની?

ગાંધીજીની મહાનતા બેશક વૈયક્તિક કક્ષાએ તેઓને મનુષ્યમાંથી દેવ સુધી પહોંચાડી ચુકી હતી !?! અને જે દેવ બની જાય છે એણે દેવ થઈ જવું (ગુજરી જવું) જોઈએ. જેમ સુર્ય, નદી, ચંદ્ર ‘અપના-પરાયા’ જેવા ભેદભાવ કરતા નથી તેમ ગાંધીજી બતાવતા માગતા હતા કે તેઓને મન હિન્દુ-મુસલમાન પ્રત્યે સમભાવ છે. પરંતુ આપણે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જોવા માગીએ છીએ. ‘ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે’ એ વાત વિશ્વ કક્ષાએ સાબિત કરવા માગીએ છીએ. તેથી જેમ સુર્ય, ચંદ્ર, નદી મૌન જ સારા તેમ આપણે ગાંધીજીને મૌન કરી દીધા એ જ શ્રેષ્ઠ કાર્ય થયું છે. હવે દેશની નીતિ તેમજ ચલણી નાણાંમાંથી તેઓને દુર કરવાની જરુર છે.

ગાંધીજી તેમજ નહેરુની મંદબુદ્ધિનું પ્રદર્શન કરતી નીતિઓ આપણ દેશમાં લાગુ કરવાના કારણે સાઈઠથી વધુ વર્ષોમાં ભારતને કેટલું બધું નુકશાન થયું છે, એ જણાવતો અને આજના આ લેખના શીર્ષકને વધુ સાર્થક સાબિત કરતો નીચે જણાવેલા શીર્ષકવાળો અગાઉ અહિં જ પ્રકાશીત થઈ ચુકેલો લેખ આ વેબસાઈટ પર જરુર વાંચો:

‘શું આપણે ખરેખર આઝાદ છીએ?’